
મદીના મુનવ્વરાહ ની વિવિધ મસ્જિદો અને તેમનું ઈતિહાસ
1. મસ્જિદે કુબા (Masjid-e-Quba)
મસ્જિદે કુબા ઈસ્લામની સૌ પ્રથમ મસ્જિદ તરીકે ઓળખાય છે.
નબી અકરમ મુહંમદ ﷺ જ્યારે મક્કાથી હિજરત કરીને મદીનાના ઉપનગર “કૂબા” ગામે પહોચ્યા, ત્યારે તેઓ ચાર દિવસ ત્યાં રહ્યા અને આ દરમિયાન તેઓએ પોતાની હાથે આ મસ્જિદની બુનિયાદ નાખી.
મસ્જિદ બનાવવામાં અમર બિન આરફન અજદી નામના સહાબીની જમીન ઉપયોગમાં લેવામાં આવી.
કુરઆન શરીફ માં સૂરા તૌબા (9:108) માં અલ્લાહ તઆલા ફરમાવે છે:
અર્થ: “જે મસ્જિદ પ્રથમ દિવસથી જ તક્વા (અલ્લાહનો ડર) પર સ્થાપિત કરવામાં આવી છે, તે જ મસ્જિદમાં આપ (અય નબી ﷺ) ઊભા રહી નમાઝ અદા કરો.”
આ આયત મસ્જિદે કુબા માટે ઊતરેલી છે એવું પણ કહેવાય છે.
નબી પાક ﷺ દર અઠવાડિયે શનિવારના દિવસે પગપાળા અથવા ઊંટ ઉપર બેસી ને મસ્જિદે કુબા જતાં અને ત્યાં નમાઝ અદા કરતાં.
હદીસ માં આવે છે:
“જે વ્યક્તિ ઘરમાંથી વઝૂ કરી ને આવે અને મસ્જિદે કુબા જાય અને ત્યાં બે રકાત નમાઝ અદા કરે, તેને એક ઉમરાહનો સવાબ મળે છે.”
(મુસ્નદે અહમદ, તિર્મિઝી)

2. મસ્જિદ બનુ ઉનૈફ (Masjid e Unaif, Masjide Musabbih)
મસ્જિદ કૂબાના પાછળ નાં ભાગમાં, અલ-ઉસબા વિસ્તારમાં સ્થિત છે. આ મસ્જિદનું નિર્માણ બનુ ઉનૈફ કબીલાએ તેમના કિલ્લાની નજીક કર્યું હતું, જે મક્કાથી મદીનાની દક્ષિણ તરફ જતી માર્ગ પર આવેલ છે.
હિજરત દરમિયાન, નબી અકરમ ﷺ મદીનામાં પ્રવેશ કરતા પહેલા અહીં ફજરની નમાઝ અદા કરી હતી. એટલે એને મસ્જિદે મુસબ્બિહ પણ કેહવાય છે.
3. મસ્જિદે જુમા (Masjid al-Jumu’ah)
મસ્જિદે જુમા, મદીનાની પવિત્ર ધરતી પર આવેલી એ ઐતિહાસિક મસ્જિદ છે, જે મસ્જિદે કૂબાથી લગભગ 500 મીટર દૂર, કૂબા અને મસ્જિદે નબવી વચ્ચેના રસ્તા પર આવેલી છે.
જ્યારે હઝરત મોહંમદ ﷺ મક્કા મુકર્રમા થી હિજરત કરીને મદીનાની તરફ આવી રહ્યા હતા, ત્યારે તેઓ ચાર દિવસ કૂબા ગામે રોકાયા હતા.
ત્યારબાદ શુક્રવારના દિવસે જ્યારે તેઓ મદીનાની તરફ આગળ વધ્યા, ત્યારે બનુ સાલિમ બિન ઔફ વિસ્તાર (જ્યાં મસ્જિદે જુમા આવેલી છે) પહોંચી ગયા. અહીં લોકો એકઠા થયા અને ત્યાં જુમાની નમાઝ નબી અકરમ ﷺ દ્વારા અદા કરાઈ.

4. મસ્જિદે કિબલતૈન (Masjid al-Qiblatain)
“કિબલતૈન” એટલે “બે કિબલા ધરાવતી મસ્જિદ”
અહીં એક ઐતિહાસિક ઘટના ઘટી હતી નમાઝ દરમિયાન કિબલા (દિશા) બૈતુલ મુક્દદ્દસ (યરુશલેમ) થી કાબા (મક્કા) તરફ બદલાઈ ગયો. પહેલાં મુસલમાનો બૈતુલ મુક્દદ્દસ તરફ મોઢું કરીને નમાઝ પડતા.
નબી અકરમ ﷺએ લાંબા સમય સુધી દુઆ કરી કે કિબલા ફરીથી મક્કા (બૈતુલ્લાહ) તરફ થઈ જાય. ત્યારે એક વાર મસ્જિદે કિબલતૈનમાં નમાઝ દરમિયાન જ વહી આવી અને કિબલા બદલી નાખવામાં આવ્યો.
નબી ﷺએ નમાઝ દરમિયાન જ મોઢું ફેરવ્યું અને સહાબીઓએ પણ એ સાથે મોઢું ફેરવ્યું અને બાકી નમાઝ નવી દિશામાં પુરી કરી.
કુરઆન શરીફમાં કિબલા બદલાવાની આયત
સૂરા બકરા (2:144):
> قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ
અર્થ:
“અમે તમારું મોઢું આકાશ તરફ ફરતું જોઈ રહ્યા છીએ. હવે અમે તમને એ દિશા તરફ ફેરવીશું જેને તમે પસંદ કરો છો. હવે તમારું મોઢું મસ્જિદે હરામ (કાબા) તરફ ફેરવો.”


5. મસ્જિદ અલ-ગમામા (Masjid al-Ghamama)
મસ્જિદ અલ-ગમામા મસ્જિદે નબવી (Masjid an-Nabawi) ની પશ્ચિમ તરફ લગભગ 200 મીટર દૂર સ્થિત છે.
આ જગ્યા એ છે જ્યાં નબી અકરમ મુહંમદ ﷺએ સલાતુલ ઇસ્તિસ્કા (વરસાદ માટેની નમાઝ) અદા કરી હતી.
“ગમામા” નો અર્થ થાય છે વાદળ. જે દિવસે નમાઝ પછી દુઆ થઈ, ત્યારે વાદળ આવીને અંધારું છવાઈ ગયું અને વારસાદ શરૂ થયો, એ પરથી મસ્જિદનું નામ ગમામા પડ્યું.
સહી હદીસ મુજબ, એક વખત મદીનામાં દુષ્કાળ પડ્યો હતો અને લોકોને વરસાદ માટે તંગી થઈ. ત્યારે નબી ﷺએ ઇસ્તિસ્કા નમાઝ આ જગ્યાએ પઢી અને દુઆ કરી. તરત જ વાદળ ઘેરાઈ ગયાં અને મદીનામાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ ધોધમાર વરસાદ સતત એક અઠવાડિયા સુધી પડતો રહ્યો.
હદીસમાં છે:
“નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લોકોને વરસાદ માટે નમાઝ માટે ખાલી મેદાનમાં લવ્યાં અને ત્યાં દુઆ કરી. તેઓએ આપણાં કપડાં ઉલટાવ્યાં અને ખૂદ દુઆ માટે હાથ ઉંચા કર્યા. ત્યાર પછી વાદળ આવ્યા અને વરસાદ પડ્યો.”
(સહી બુખારી અને મુસ્લિમ 1013)
6. મસ્જિદે અબુ બકર અસ-સિદ્દીક (Masjid Abu Bakr as-Siddiq)
આ મસ્જિદ અલ-ગમામા (Masjid al-Ghamama)ના પાસે જ આવેલી છે.
આ સમગ્ર વિસ્તાર જૂના સમયમાં ખાલી મેદાન હતો જ્યાં નબી અકરમ ﷺ અને ખુલફાએ રાશીદીન ઇદની નમાઝ માટે જતા હતા.
આ મસ્જિદ ત્યાં નિર્મિત કરાઈ હતી જ્યાં હઝરત અબુ બકર અસ-સદ્દીક રઝિયલ્લાહુ અન્હુએ ખિલાફતના સમયમાં ઇદની નમાઝ પઢી હતી.
આ મસ્જિદ એ સ્થળની યાદગારી તરીકે છે જ્યાં આ ઇબાદત થઈ હતી.

7. મસ્જિદે અલી (Masjid Ali ibn Abi Talib)
મસ્જિદે અબુ બકર અને મસ્જિદ અલ-ગમામા ની પાસે જ આવેલી છે.
એવી રિવાયત છે કે હઝરત અલી કરમલ્લાહુ વજ્હુએ અહીં ઇદની નમાઝ અદા કરી હતી.
એ સમયે ઇદ માટે ખાસ મસ્જિદ ન હતી લોકો ખુલ્લા મેદાનમાં જમાત સાથે નમાઝ અદા કરતા.
ખિલાફતે રાશીદીનના દરેક ખલીફા માટે અલગ-અલગ સ્થળો ફાળવાયાં હતાં, જેના સ્મૃતિરૂપે અહીં મસ્જિદો બની છે.

8. મસ્જિદે ઉમર (Masjid Umar ibn Al-Khattab)
મસ્જિદે નબવીથી લગભગ 300–350 મીટર પશ્ચિમ તરફ છે.
આ મસ્જિદ પણ મદીનાના જૂના ઇદગાહ વિસ્તારમાં આવેલી છે. કહેવાય છે કે હઝરત ઉમર ફારૂક રઝિઅલ્લાહુ અન્હુએ અહીં ઇદની નમાઝ અદા કરી હતી.
તેથી આ સ્થળે મસ્જિદ બનાવવામાં આવી અને તેનું નામ મસ્જિદે ઉમર રાખવામાં આવ્યું. આ મસ્જિદ પણ ઇસ્લામી ઇતિહાસમાં ખુલફાએ રાશીદીનના ઇબાદત સ્થાનો તરીકે ઓળખાય છે.
ઝાયરીન અહીં ઝિયારત અને નફિલ નમાઝ માટે આવે છે.
આ રીતે મદીનાનું આ વિસ્તાર, અલ-સાહા ચાર ખલીફાઓ સાથે જોડાયેલી મસ્જિદો ધરાવતું દુર્લભ અને મૂલ્યવાન ઇસ્લામિક હેરિટેજ ઝોન છે.

9. મસ્જિદે સબા, સાત મસ્જિદો (Seven Masajid)
ખંદકની જંગ સાથે સંબંધિત આ સાત ઐતિહાસિક મસ્જિદોનો સમૂહ, જેમાં નીચેની મસ્જિદો શામેલ છે:
જંગ દરમિયા અમુક ખાસ સહાબીઓ ના ખેમા જ્યાં બાંધવામાં આવ્યા હતાં ત્યાં આ 7 મસ્જિદો બનાવવા માં આવી છે.
મસ્જિદ અલ-ફતહ: સેલા પર્વતની તળેટીમાં, જ્યાં નબી ﷺ એ ખંદકની લડાઈ દરમિયાન દુઆ કરી હતી.
મસ્જિદ સલમાન અલ-ફારસી: સલમાન ફારસી (રજિ.)ના નામે, જેમણે ખંદક ખોદવાની સલાહ આપી હતી.
મસ્જિદ અબૂ બકર, મસ્જિદ ઉમર, મસ્જિદ અલી, મસ્જિદ ફાતિમા અને મસ્જિદ સાઅદ ઇબ્ન મુઆઝ: પ્રતિષ્ઠિત સહાબીઓના નામે મસ્જિદો, જે ખંદકની લડાઈ દરમિયાન તેમના યોગદાનને યાદ કરે છે.

10. મસ્જિદ અલ અંબરિયા (Al-Anbariya Mosque)
ખિલાફત ઉષ્માનીય માં આ મસ્જિદ ની સ્થાપના 1326 ઈસવીમાં તુર્કી હુકુમત ના રેલવે સ્ટેશન હિજાઝ પાસે કરવામાં આવી હતી. તુર્કી ના ઓટોમન એમ્પાયર શૈલીની કળા કૃતિ ની પથ્થરથી બનેલી મસ્જિદ છે જે તુર્કી હુકુમત ની યાદ તાજા કરે છે.

11. મસ્જિદે સુકિયા (Masjid As-Suqiya)
તુર્કી હુકુમત ના હિજાઝ રેલવે સ્ટેશન ના કોમ્પલેક્ષ માં આ મસ્જિદ આવેલી છે. આનાથી અનેક ઇતિહાસિક રિવાયતો સંકળાયેલી છે. અમુક રિવાયતો એવી છે કે બદર ની જંગ માટે નબી ﷺ અને સાથીઓ અહીંયા રોકાયા હતા અને નમાઝ અદા કરી હતી. તુર્કી હુકુમત માં અહીં નાની મસ્જિદ બનેલી છે જે ઝાઇરીન માટે ખુલ્લી નથી. હિજાઝ રેલવે સ્ટેશનને પણ મ્યુઝિયમ માં રૂપાંતરીત કરવામાં આવ્યું હતું, તે પણ હમણાં આમ લોકો માટે ખુલ્લું નથી.

12. મસ્જિદ અલ-ફસહ (Masjid al-Fas’h)
મસ્જિદ અલ-ફસહ જબલ ઉહદ પર્વતના તળિયે આવેલી નાની મસ્જિદ છે. આ મસ્જિદને સાઉદી અરેબિયાના વારસા કમિશન દ્વારા હમણાં જ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
આ મસ્જિદનું માળખું નાનું છે, અંદાજે 6×4 મીટરના કદનું, અને તેની દિવાલોની ઊંચાઈ લગભગ 2 મીટર છે.
મસ્જિદના નિર્માણમાં મદીનાના કાળા પથ્થરો નો ઉપયોગ થયો છે.
ઇતિહાસિક મહત્વ: ઉહદના જંગ પછી નબી અકરમ ﷺ એ અહીં ઝોહર અને અસરની નમાઝ અદા કરી હતી.
કહેવાય છે કે મસ્જિદના કિબલા તરફના ભાગમાં પર્વતમાં માનવ માથાના કદનું ખોખલું સ્થાન છે, જ્યાં નબી અકરમએ બેસીને આરામ કર્યો હતો.

13. મસ્જિદ સૈયદુશ શોહદા (Masjid Sayyid al-Shuhada)
આ મસ્જિદ ઉહદની લડાઈના શહીદોને યાદગાર બનાવે છે. જે જબલ ઉહદ પર્વતના તળિયે આવેલી છે. આ મસ્જિદ હઝરત હમઝા ઇબ્ન અબ્દુલ મુત્તલિબ (રઝિઅલ્લાહુ અન્હ) અને અન્ય 70 શહીદ સાથીઓની યાદમાં નિર્મિત છે, જેમણે હિજરી ત્રીજા વર્ષમાં ઉહદની લડાઈ દરમિયાન ઇસ્લામ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
મસ્જિદની પાછળ ઉહદના શહીદોની કબરસ્તાન છે, જેમાં હઝરત હમઝા (રઝિઅલ્લાહુ અન્હ) સહિત અન્ય શહીદો દફન છે.
હઝરત હમઝા (રઝિઅલ્લાહુ અહુ), નબી અકરમના ચાચા અને પ્રારંભિક મુસ્લિમો પૈકીના એક, જેમને “અસદુલ્લાહ” તરીકે ઓળખવામાં આવે છે, અહીં દફન છે.
મસ્જિદ સૈયદુશ શોહદા મુસ્લિમો માટે એક મહત્વપૂર્ણ ઝિયારત સ્થાન છે, જ્યાં તેઓ શહીદોની કબર પર દુરુદ, સલામ અને દુઆ માટે આવે છે.

14. મસ્જિદ અલ-ઇજાબા (Masjid al-ljabah)
મસ્જિદ અલ-ઇજાબા એ સ્થળ છે જ્યાં નબી અકરમ ﷺ એ તેમની ઉમ્મત માટે દુઆ કરી હતી. આ મસ્જિદનું નામ ‘ઇજાબા’ (અર્થાત્ ‘સ્વીકાર’) એ દુઆઓના સ્વીકારના સંદર્ભમાં રાખવામાં આવ્યું છે.
નબી અકરમ એક દિવસ અલ-આલિયામાંથી પાછા ફરતા હતા ત્યારે તેઓ મસ્જિદ બનુ મુઆવિયા પાસેથી પસાર થયા અને અંદર પ્રવેશ કરીને બે રકાત નમાઝ અદા કરી. નમાઝ પછી, તેમણે લાંબી દુઆ કરી અને પછી સાથીઓ તરફ ફરીને અને કહ્યું:
“મેં મારા રબ પાસે ત્રણ બાબતો માટે દુઆ કરી.
પહેલી, કે મારી ઉમ્મતને ક્યારેય દુષ્કાળથી નાશ ન કરવામાં આવે, આ દુઆ સ્વીકારવામાં આવી.
બીજી, કે મારી ઉમ્મતને ક્યારેય પૂરથી નાશ ન કરવામાં આવે આ દુઆ પણ સ્વીકારવામાં આવી.
ત્રીજી, કે મારી ઉમ્મતમાં ક્યારેય આંતરિક વિખવાદ (ઇખ્તેલાફ) ન થાય આ દુઆ સ્વીકારવામાં ન આવી.”
આ હદીસ સહી મુસ્લિમાં વર્ણવવામાં આવી છે.

15. મસ્જિદે ઇમામ બુખારી (Masjid Imam Bukhari)
આ મસ્જિદ નું સંબંધ પ્રસિદ્ધ હદીસ વિદ્વાન ઇમામ મુહમ્મદ ઇબ્ન ઇસ્માઇલ અલ-બુખારી (રહિમહુલ્લાહ) સાથે છે.
મસ્જિદ ઇમામ બુખારી મસ્જિદે નબવીથી લગભગ 250 મીટર દૂર, ઉત્તર-પૂર્વ દિશામાં સ્થિત છે. આ મસ્જિદ તે સ્થળે નિર્મિત છે જ્યાં ઇમામ બુખારી (રહિ.) મદીનામાં તેમના નિવાસ દરમિયાન રહેતા હતા અને જ્યાં તેમણે તેમના પ્રસિદ્ધ હદીસ સંગ્રહ સહીહ અલ-બુખારીનું સંકલન કર્યું હતું.
ઇમામ બુખારી (રહિ.) ઇસ્લામના સૌથી મહાન હદીસ વિદ્વાનોમાંના એક હતા. તેમણે લગભગ 6,00,000 હદીસો યાદ કરી હતી અને તેમની શ્રેષ્ઠ પસંદગીમાંથી સહીહ અલ-બુખારી નામનું હદીસ સંગ્રહ તૈયાર કર્યું, જે સુન્ની ઇસ્લામમાં કુરઆન પછીનું સૌથી વિશ્વસનીય હદીસ નું ગ્રંથ માનવામાં આવે છે.
તેમણે મદીનામાં તેમના નિવાસ દરમિયાન આ મસ્જિદના સ્થળે રહેતા હતા અને અહીંથી તેમણે તેમના હદીસ સંશોધન અને લેખન કાર્ય કર્યું હતું.

16. મસ્જિદે જીરાહ (Masjide Dhara)
નબી કરીમ ﷺ મદીનાથી યુદ્ધના મેદાન ઉહુદ સુધી મુસાફરી કરતી વખતે અહીંયા રોકાયા અને આરામ કર્યું અને મગરીબ, ઈશા અને ફજરની નમાઝ પઢી. અહીંયા નબી ﷺ એ યુદ્ધ મા દુશ્મન થી બચવા માટે પહેરવા મા આવતું બખ્તરના 2 સ્તર પહેરેલા હતા. જેને જીરાહ કેહવાય છે એટલે આ મસ્જિદ નું નામ મસ્જિદે જીરાહ પડ્યું છે.

વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372