મસ્જિદે નબવી ﷺ વિશે માહિતી:

હિજરત:
મક્કાના લોકો દ્વારા ઘણા વર્ષોની પીડા પછી, મુસ્લિમ સમુદાય રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ના હુકમ થી મદીના શરીફ હિજરત કરી ને આવ્યા. મદીનાની બે મુખ્ય જાતિઓ, બનુ અવ્સ અને બનુ ખઝરજ હતી. તેઓએ નબી ﷺ ના સમર્થનમાં એક થઈને મુસ્લિમોનું સ્વાગત કર્યું. મક્કાથી આવેલા મુસ્લિમોને મુહાજિરુન (માઈગ્રન્ટ્સ) કહેવાયા, જ્યારે મદીનાના મુસ્લિમોને અન્સાર (મદદગાર) કહેવાયા.

નબી ﷺ અને તેમના નજીકના સાથી, અબૂ બકર અલ-સદ્દીક, હિજરત માં સાથે હતા તેઓ 12મી રબી અલ-અવ્વલના રોજ મદીનાની બહાર પહોંચ્યા.


મદીનામાં પ્રવેશ કરતા પહેલા, નબી ﷺ કુબા ગામમાં રોકાયા અને ત્યાં મસ્જિદ કુબા બનાવવી શરૂ કરી.  કુબા ખાતે ચાર દિવસ વિતાવ્યા પછી, તેઓ બનુ સાલિમ કબીલા પાસે પહોંચ્યા, જ્યાં પ્રથમ જુમ્માની નમાઝ અદા કરી.

નિર્માણ:
મદીનામાં પ્રવેશ કરતા સમયે, નબી ﷺ નું સ્વાગત કરવા માટે લોકો એકત્રિત થયા.  દરેક પરિવાર ઈચ્છતો હતો કે નબી ﷺ તેમના ઘરે રોકાય. નબી ﷺ એ સૌજન્યપૂર્વક કહ્યું:

“તેને (ઊંટણી) તેના માર્ગે જવા દો, કારણ કે તે અલ્લાહના આદેશ હેઠળ છે.”

નબી ﷺ ની અલ-કસવા નામની ઊંટણી એક જગ્યાએ રોકાઈ, એ જગ્યા ઉપર અબુ ઐયુબ અંસારી નું ઘર હતું. ત્યાં થોડા દિવસ રોકાયા પછી એની પાસે બનુ નજ્જાર જાતિના બે અનાથ ભાઈઓ, સહલ અને સુહૈલની મિલકત હતી. તેઓના વાલી અસઅદ ઇબ્ન જુરારા હતા. જ્યારે આ બાળકોને ખબર પડી કે નબી ﷺ તેમની જમીન પર મસ્જિદ બનાવવા ઈચ્છે છે, ત્યારે તેમણે જમીન ભેટ આપવાનો નિર્ધાર કર્યો.  પરંતુ નબી ﷺ એ યતીમ હોવાને કારણે જમીન માટે મૂલ્ય ચૂકવવાનો આગ્રહ કર્યો. નબી ﷺએ અબૂ બકર અલ-સદ્દીક દ્વારા 10 દિનાર ચૂકવીને જમીન ખરીદી. જમીન પર ખજુરના ઝાડ, ઝાડીઓ અને કેટલાક જૂના કબરો ના અવશેષો હતા. નબી ﷺ એ કબરો ખોદાવવાનો, ઝાડીઓ દૂર કરવાનું અને જમીન સમતલ કરવાનો આદેશ આપ્યો.  મસ્જિદનું નિર્માણ શરૂ થયું, જેમાં નબી ﷺ અને તેમના સાથીઓએ ભાગ લીધો. પ્રારંભિક મસ્જિદ ખુલ્લી જગ્યા હતી, જેમાં ખજુરના થાંભલા અને પાંદડાઓથી છત બનાવી હતી.

મસ્જિદે નબવીના મુખ્ય કાર્યો:
મસ્જિદે નબવી ઇસ્લામિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે માત્ર નમાઝનું સ્થાન નહોતું, પરંતુ ઉમ્મત માટેનું કેન્દ્ર (મર્કઝ) હતું.

જ્ઞાન કેન્દ્ર: અહીં નબી ﷺ અને બીજા સહાબીઓ દ્વારા તાલિબે ઈલ્મ ને પવિત્ર જ્ઞાન આપવામાં આવતું હતું.

જાહેર એલાન નું સ્થાન: મસ્જિદમાંથી જાહેર મહત્વના નિર્ણય અને એલાન કરવામાં આવતા હતા.

કોર્ટ ઓફ લૉ: કાનૂની વિવાદોનું નિરાકરણ અહીં કરવામાં આવતું હતું.

વિદેશી પ્રતિનિધિઓ સાથે ચર્ચા: વિદેશી પ્રતિનિધિઓ (વફદ) સાથે ચર્ચા અને સંમતિઓ અહીં થતી હતી.

ગરીબો માટે આશ્રય: ગરીબો અને જરૂરિયાતમંદો માટે આશ્રયસ્થાન તરીકે સેવા અપાતી હતી.

વિશ્રામ સ્થળ: લોકો અહીં આરામ કરી શકતા, વાતચીત કરી શકતા અને તાલીમ હાંસિલ કરી શકતા.

બૈતુલ માલ: ઝકાત, સદકાત, માલે ગનીમત વિગેરે નું સંચાલન અહીં થી થતું હતું.


આ રીતે, મસ્જિદે નબવી માત્ર નમાઝનું સ્થાન નહોતું, પરંતુ સમુદાય માટેનું કેન્દ્ર હતું.

મસ્જિદે નબવી સાથે સંકળાયેલા પ્રસંગો:
નબી ﷺ મસ્જિદે નબવીમાં નિયમિત રીતે નમાઝ અને ખુતબા આપતા.

મસ્જિદમાં “સુફ્ફા” નામનું સ્થાન હતું, જ્યાં ગરીબ સહાબીઓ રેહતા અને નબી ﷺ પાસેથી ઈલ્મ પ્રાપ્ત કરતા.

મસ્જિદે નબવી ની લગોલગ પેહલા નબી ﷺ, અલી અને આપ ﷺ ની પત્નીઓ ના હુજરાત (ઓરડીઓ, ઘર) હતા. પછીથી આ બધાં મસ્જિદે નબવી માં શામેલ કરી લીધા હતાં.

મસ્જિદે નબવીમાં નબી ﷺ, અબૂ બકર (ર.અ.) અને ઉમર (ર.અ.)ની કબર મુબારક સ્થિત છે, જે “ગ્રીન ડોમ” “ગુમ્બદે ખઝરા” ની નીચે છે.

મસ્જિદે નબવી (Masjid al-Nabawi) મદીનાનું હૃદયસ્થળ છે.  પ્રારંભે નબી મુહંમદ ﷺ દ્વારા સ્થાપિત આ મસ્જિદ માત્ર નમાઝ માટેનું સ્થાન નહોતું, પરંતુ તે આધ્યાત્મિકતા ઉપરાંત સામાજિક, કાનૂની અને રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું.

મસ્જિદે નબવીની ફઝીલતો:
1. એક નમાઝનું વિશેષ મહત્વ

નબી મુહંમદ ﷺએ ફરમાવ્યું:
“મારી મસ્જિદમાં એક નમાઝ અન્ય મસ્જિદોમાં કરેલી હજાર નમાઝોથી શ્રેષ્ઠ છે, સિવાય મસ્જિદ અલ-હરામ (કાબા)ની.”

2. રૌઝા (જન્નતની બાગ)

નબી ﷺએ ફરમાવ્યું:
“મારા ઘરના અને મિમ્બર વચ્ચેનું સ્થાન જન્નતના બાગોમાંનું એક બાગ છે.” રિયાઝુલ જન્નાહ

3. ત્રણ મસ્જિદો જેમાં વધું સવાબ માટે સફર કરી શકાય.
નબી ﷺએ ફરમાવ્યું:
“માત્ર ત્રણ મસ્જિદોની યાત્રા (વધું સવાબ માટે) મુસાફરી કરવી યોગ્ય છે: મસ્જિદે હરામ, મારી આ મસ્જિદ (મસ્જિદે નબવી) અને મસ્જિદે અક્સા.”

નબી ﷺના સમયથી આજના સમય સુધી મસ્જિદે નબવી નું વિસતાર (Expansion) ટુંકા મુદ્દા પ્રમાણે હુકૂમતો અનુસાર:

1. નબી ﷺનો સમય (1 હિજરી / 622 CE)

પહેલી વખત મસ્જિદ ની બુનિયાદ નખાઈ.
કદ: લગભગ 35 x 30 મીટર (1,050 m²).
કાચી ઇંટ, ખજુરના થાંભલાં અને પાંદડાની છત.
સફ માટે થોડીક જગ્યા.


2. ખલિફા ઉમર ફારૂક (ર.અ.) (17 હિજરી / 638 CE)

પહેલો વિસતાર. (1st Expansion)
કદ: 2,500 m² લગભગ.
દીવાલો ઊંચી કરી, વધારે થાંભલાં અને છત.

3. ખલિફા ઉસ્માન બિન અફ્ફાન (ર.અ.) (29-30 હિજરી / 650 CE)

બીજું વિસતાર.
પત્થર અને પાકી કરેલી ઇંટોથી મજબૂત બનાવટ.
કદ: લગભગ 3,500 m².

4. ઉમય્યદ ખલીફા વાલીદ બિન અબ્દુલ મલિક (88-91 હિજરી / 707-710 CE)

મોટું વિસતાર અને ભવ્ય મસ્જિદ બનાવવી.
પહેલી વખત મીહરાબ, મિનારાઓ, અને હુઝરે અઇશા સાથે જોડાણ.
કદ: ~6,100 m².

5. અબ્બાસી ખલીફા મહદી (165-167 હિ. / 781 CE)

થોડી માત્રામાં મસ્જિદ ને આગળની તરફ વિસ્તાર કર્યો.

6. મમલૂક અને ઓટોમન (સલ્તનત એ ઉષ્માનીયા, તુર્કી હુકુમત) સમય (15મી થી 19મી સદી)

મરમ્મત અને સુંદર જર્જર કામ.
નવા ગુમ્બદ, નવા સુશોભન અને પાક્કી છતો ઉમેરવામાં આવી.
1817 CE – ઓટોમન સુલતાન મહમૂદ દ્વિતીયે વધુ વિસતાર કર્યો.


7. ઓટોમન સુલતાન અબ્દુલ મજિદ (1849 CE)

ભવ્ય રોમન-ઓટોમન આર્કિટેક્ચર.
મસ્જિદમાં બીજા ગુમ્બદોનો ઉમેરો જે આગળ જોવાં મળે છે. નાના નાના સફેદ રંગ નાં ગુમબ્દ જે બાબુસ સલામ થી બાબુલ બકી સુધી માં જોવા મળે છે.

8. સાઉદી સરકાર કિંગ અબ્દુલઅઝીઝ (1932 CE બાદ)

પહેલી વખત મસ્જિદ માં વીજળી, પંખા અને આધુનિક સુવિધાઓ ઉમેરાયી.

9. કિંગ સઉદ (1951-1955 CE)

મસ્જિદ નું આધુનિકરણ થયું અને નવુ વિસતાર થયું: ~16,327 m².

10. કિંગ ફહદ (1985-1994 CE)

વિશાળ વિસતાર, ઓટોમેટિક ગુમ્બદ, ઓટોમેટિક એસકેલેટર, મોટા પંખા, વિગેરે નું સમાવેશ.
કદ: 82,000 m² (મુખ્ય મસ્જિદ)
બહાર નું ખુલ્લું વિસ્તાર સાથે કુલ: ~400,000 m²
ક્ષમતા: ~6 લાખ લોકો


11. કિંગ અબ્દુલ્લાહ (2012 CE બાદ)

ભવિષ્ય માટેનું પ્લાન: 10 લાખ સુધી ક્ષમતા.
કુલ ક્ષેત્રફળ: ~1 મિલિયન m²
આજ સુધી મોટા મોટા ફેરફારો થતા રહે છે.

હુઝુર મુહમ્મદ ﷺ ના ઝમાના નું મદીના શહર આજ ની મસ્જિદે નબવી જેટલું હતું…..


વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372